શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

*આ 👇એક સત્ય હકીકત છે*

કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં, 

આ જમીન ગુજરાતમાં જ છે,

 હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.

મિત્રો તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે. 

પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો ? 

તો આજે અમે તેના મૃત્યુ અને તેને સંબંધિત રહસ્યો વિશે જણાવશું.

 જેનાથી લગભગ તમે અજાણ હશો.

જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતુંં 
ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતુંં. 

ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી બહાર ન કાઢી લઉ 
ત્યાં સુધી તું મારા પર વાર નહિ કરે. 
આ સાંભળી અર્જુન અટકી ગયો.

 ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે 
અર્જુન તું કેમ અટકી ગયો બાણ ચલાવ.

અર્જુને શ્રી કૃષ્ણને જણાવ્યું કે તે યુદ્ધના નિયમથી વિરુદ્ધ છે. 

ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યાદ અપાવ્યું કે 
જ્યારે અભિમન્યુ એકલો જ બધા યોદ્ધાઓ સાથે લડી રહ્યો હતો 
ત્યારે યુદ્ધના નિયમનો ખ્યાલ રાખ્યો હતો ? 

ત્યારે શું પિતામહે યુદ્ધના કોઈ નિયમ બનાવ્યા ન હતા ? 
અને 
એટલું જ નહિ ભરી સભામાં દ્રૌપદીને વેશ્યા કહેવામાં આવી હતી ત્યારે….

આ સાંભળી અર્જુનને ગુસ્સો આવ્યો અને કર્ણ પર બાણ ચલાવી દીધું. 

મિત્રો તમને જણાવી દઈએ કે અર્જુન દ્વારા ચલાવાયેલું બાણ કોઈ સાધારણ બાણ ન હતું કે જેનાથી કર્ણ બચી શકે. 

તે પાશુપસ્ત્ર હતું. 
જે ભગવાન શિવજીના વરદાનથી અર્જુનને મળ્યું હતું. 

જ્યારે પાંડવો ૧૪ વર્ષના વનવાસ માટે ગયા 
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચેય પાંડવને અલગ અલગ તપસ્યા કરવા માટે મોકલી દીધા હતા.

 તેમાં અર્જુને ભગવાન શિવજીની તપસ્યા કરી હતી 
અને 
ભગવાન શિવજીએ તેને પાશુપસ્ત્ર વરદાન સ્વરૂપે આપ્યું હતું.

અર્જુનના વાર બાદ તડપી તડપીને કર્ણ પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો 

ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું 
અને 
બ્રાહ્મણ રૂપ ધારણ કરીને કૃષ્ણ ભગવાન કર્ણ પાસે આવ્યા 
અને 
કહ્યું કે હે કર્ણ મારી પુત્રીના લગ્ન છે 
અને 
મારી પાસે તેને દાનમાં આપવા માટે સોનું નથી તો મને સોનાનું દાન આપ.

ત્યારે કર્ણએ જણાવ્યું કે હવે મારી પાસે કંઈ નથી 
હું તમને શું દાન કરી શકું શા માટે તમે મારી પરીક્ષા લઇ રહ્યો છો.

 ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હજુ પણ તારી પાસે તારો સોનાનો દાંત છે
 દાન આપવા માટે. 
ત્યારે કર્ણએ જણાવ્યું કે પથ્થર મારીને મારો દાંત કાઢી લો. 
ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે દાન આપવાનું હોય મારાથી પથ્થર મારીને ન લેવાય તારે આપવો પડશે દાંત. 
ત્યારે કર્ણએ પોતાના હાથે દાંત પર પથ્થર મારીને દાંત કાઢી બ્રાહ્મણને આપ્યો.

ત્યારે બ્રાહ્મણે કહ્યું કે દાંતને પવિત્ર કરીને આપ 
ત્યારે કર્ણને પોતાનું બાણ જમીન પર ચલાવ્યું તો 
ત્યાંથી ગંગા નદીની જળ ધારા થઇ 
અને 
દાંત પવિત્ર થઇ ગયો. 

ત્યાર બાદ કર્ણ સમજી ગયો કે આ બ્રાહ્મણ કોઈ દેવતા છે અથવા તો ખુદ પરમાત્મા છે. 

માટે તેણે બ્રાહ્મણને કહ્યું કે 
તમે જે હોય તે મને તમારું અસલી રૂપ દેખાડો.

ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અસલી રૂપમાં આવ્યા
અને 
કર્ણને જણાવ્યું કે તું ખરેખર મહાન દાનવીર છે 
તારા જેટલું દાની જગતમાં બીજું કોઈ નથી, 
માટે હું તારા આ કર્મથી પ્રસન્ન છું,

 તું જે માંગીશ તે આપીશ માટે કોઈ વરદાન માંગ. 

ત્યારે કર્ણએ કહ્યું, કે 
આમ તો મેં ક્યારેય કોઈ પાસે માગ્યું નથી

 પરંતુ આજે એક વરદાન માંગુ છું

 કે મને જન્મ એક કુંવારી માતાએ આપ્યો છે 
માટે મારા અંતિમ સંસ્કાર પણ એક કુંવારી જમીન પર થાય તેવું ઈચ્છું છું.

ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંત:દ્રષ્ટિથી કુંવારી જમીન શોધી તો 
તાપી નદીના કિનારે અશ્વિની કુમારના મંદિર પાસેની જમીન કુંવારી હતી. 

ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંચેય પાંડવોએ કર્ણના અંતિમ સંસ્કાર ત્યાં કર્યા.

 ત્યારે પાંડવોએ પૂછ્યું કે આ કુંવારી જમીન જ છે 
એવું કંઈ રીતે સાબિત થાય.

 ત્યારે કર્ણ પ્રગટ થયો 
અને 
જણાવ્યું કે તાપી મારી બહેન છે,
 અશ્વિની કુમાર મારા ભાઈઓ છે
 અને 
હું સૂર્ય પુત્ર છું 
અને 
મારો અગ્નિદાહ એક કુંવારી જમીનમાં જ થયો છે..

ત્યારે પાંડવોએ જણાવ્યું કે 
હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે 
આ એક કુંવારી જમીન છે. 

પરંતુ આવનારી પેઢીને કંઈ રીતે ખબર પડશે કે 

કુંવારી જમીન પર જ દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા.

 ત્યારે ભગવાને વિચાર્યું અને કહ્યું કે આ જ જમીન પર એક વટ વૃક્ષ ઉગશે 
અને 
તેમાં ત્રણ પાંદડા આવશે જે
 બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક હશે
 અને 
આગળ જણાવ્યું કે જે કોઈ પણ અહીં સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરશે. 
તેની મનોકામના અહીં અવશ્ય પૂર્ણ થશે. 

મિત્રો આ વટ વૃક્ષ આજે પણ છે.
અને 
આજે પણ તેમાં માત્ર ત્રણ જ પાંદડા છે.
 જે એ વાતની સાબિતી આપે છે કે
 દાનવીર કર્ણના અગ્નિ સંસ્કાર ત્યાં જ કરવામાં આવ્યા હતા.

મિત્રો સૌથી મજેદાર વાત તો એ છે કે 
આ વટ વૃક્ષ આપણા ગુજરાતમાં જ છે. 

સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલ 
અશ્વિની કુમાર મંદિર પાસે આ ત્રણ પાંદડા વાળું વટ વૃક્ષ આવેલું છે. 

અને 
કદાચ એટલા માટે જ આજે સુરત શહેરની દુનિયાભરમાં બોલબાલા છે. 

ત્યાં જઈને કોઈ પણ પોતાની લાઈફ સેટ કરી લે છે. 

કેમ કે સુરત પર આંજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્યદેવના આશીર્વાદ છે. 

જીવનમાં એક વાર અવશ્ય તે તીર્થ સ્થળની યાત્રાએ અચૂક જજો.

     🙏🏻🙏🏻  *જય શ્રી કૃષ્ણ*  🙏🏻🙏🏻

બુધવાર, 14 ઑગસ્ટ, 2019

*दो ऐसी सत्य कथाऐं जिनको पढ़ने के बाद शायद आप भी अपनी  ज़िंदगी जीने का अंदाज़ बदलना चाहें:-*

*पहली*

दक्षिण अफ्रीका के राष्ट्रपति बनने के बाद ऐक बार नेल्सन मांडेला अपने सुरक्षा कर्मियों के साथ एक रेस्तरां में खाना खाने गए। सबने अपनी अपनी पसंद का खाना  आर्डर किया और खाना आने का इंतजार करने लगे।
उसी समय मांडेला की सीट के सामने वाली सीट पर एक व्यक्ति अपने खाने का इंतजार कर रहा था। मांडेला ने अपने सुरक्षा कर्मी से कहा कि उसे भी अपनी टेबल पर बुला लो। ऐसा ही हुआ। खाना आने के बाद सभी खाने लगे, *वो आदमी भी अपना खाना खाने लगा, पर उसके हाथ खाते हुए कांप रहे थे।*
खाना खत्म कर वो आदमी सिर झुका कर रेस्तरां से बाहर निकल गया। उस आदमी के जाने के बाद मंडेला के सुरक्षा अधिकारी ने मंडेला से कहा कि वो व्यक्ति शायद बहुत बीमार था, खाते वख़्त उसके हाथ लगातार कांप रहे थे और वह ख़ुद भी कांप रहा था।
मांडेला ने कहा नहीं ऐसा नहीं है। *वह उस जेल का जेलर था, जिसमें मुझे कैद रखा गया था। जब कभी मुझे यातनाएं दी जाती थीं  और मै कराहते हुए पानी मांगता था तो ये मेरे ऊपर पेशाब करता था।*

मांडेला ने कहा *मै अब राष्ट्रपति बन गया हूं, उसने समझा कि मै भी उसके साथ शायद वैसा ही व्यवहार करूंगा। पर मेरा चरित्र ऐसा नहीं है। मुझे लगता है बदले की भावना से काम करना विनाश की ओर ले जाता है। वहीं धैर्य और सहिष्णुता की मानसिकता हमें विकास की ओर ले जाती है।*

*दूसरी*

मुंबई से बैंगलुरू जा रही ट्रेन में सफ़र के दौरान टीसी ने सीट के नीचे छिपी लगभग तेरह/चौदह साल की ऐक लड़की से कहा

टीसी "टिकट कहाँ है?"
काँपती हुई लडकी "नहीं है साहब।"
टी सी "तो गाड़ी से उतरो।"

*इसका टिकट मैं दे रही हूँ।............पीछे से ऐक सह यात्री ऊषा भट्टाचार्य की आवाज आई जो पेशे से प्रोफेसर थी ।*

ऊषा जी - "तुम्हें कहाँ जाना है ?"
लड़की - "पता नहीं मैम!"
ऊषा जी - "तब मेरे साथ चलो, बैंगलोर तक!"
ऊषा जी - "तुम्हारा नाम क्या है?"
लड़की - "चित्रा"

बैंगलुरू पहुँच कर ऊषाजी ने चित्रा को अपनी जान पहचान की ऐक स्वंयसेवी संस्था को सौंप दिया और ऐक अच्छे स्कूल में भी एडमीशन करवा दिया। जल्द ही ऊषा जी का ट्रांसफर दिल्ली हो गया जिसके कारण चित्रा से संपर्क टूट गया, कभी-कभार केवल फोन पर बात हो जाया करती थी।

करीब बीस साल बाद ऊषाजी को एक लेक्चर के लिए सेन फ्रांसिस्को (अमरीका) बुलाया गया । लेक्चर के बाद जब वह होटल का बिल देने रिसेप्सन पर गईं तो पता चला पीछे खड़े एक खूबसूरत दंपत्ति ने बिल चुका  दिया था।

ऊषाजी "तुमने मेरा बिल क्यों भरा?"
*मैम, यह मुम्बई से बैंगलुरू तक के रेल टिकट के सामने कुछ भी नहीं है ।*
ऊषाजी "अरे चित्रा!" ...

चित्रा और कोई नहीं बल्कि  *इंफोसिस फाउंडेशन की चेयरमैन सुधा मुर्ति थीं जो  इंफोसिस के संस्थापक श्री नारायण मूर्ति की पत्नी हैं।*
यह लघु कथा उन्ही की लिखी पुस्तक "द डे आई स्टाॅप्ड ड्रिंकिंग मिल्क" से ली गई है।

*कभी कभी आपके द्वारा  की गई किसी की सहायता, किसी का जीवन बदल सकती है।*
यदि जीवन में कुछ कमाना है तो पुण्य अर्जित कीजिये, क्योंकि यही वो मार्ग है जो स्वर्ग तक जाता है.... 🌹🌹

શનિવાર, 10 ઑગસ્ટ, 2019

જે લોકો રાત્રે અથવા વહેલી સવારે બાથરૂમ જવા ઉઠે છે તેમના માટે ૩- ૫ મિનીટ ખાસ મહત્વની છે. દરેક વ્યક્તિએ આ ૩-૫ મિનીટની નોંધ લેવી જરૂરી છે. આ સાડા ત્રણ મિનીટ..મહદઅંશે અચાનક મોતની શક્યતા ઘટાડી દે છે…

આપણને સાંભળીને ઘણીવાર આંચકો લાગી જાય છે, કે સારો, તંદુરસ્ત લાગતો માનવી રાત્રે ગુજરી જાય છે.

આપણે સાંભળીએ છીએ કે :

અરે ! કાલે રાત્રે તો હું તેની સાથે ફરવા ગયો હતો કે રાત્રે તો હું તેની સાથે વાત કરતો હતો અને સવારે ઉઠતાવેત આ સમાચાર?

તો આવું આકસ્મિક મોત કેમ થાય છે?
સાજા સમા માણસને જ કેમ ભરખી ગયું?

હવે સાવ સહેલી ભાષામાં સમજીએ તો એવું થાય કે :

તમે રાત્રે બાથરૂમ જવા માટે એકદમ ઉતાવળમાં જ મોટાભાગે ઉભા થઇ જાઓ છો. હવે રાત્રે આપણે આરામ કરતા હોઈએ…અને એકદમ જ ઉભા થઇ જઈએ ત્યારે આપણા મગજને મળતું લોહી ઓછુ થઇ જાય છે.

અહી સાડા ત્રણ મિનીટનું મહત્વ છે. મધ્ય રાત્રીએ જયારે બાથરૂમમાં જવાની ઉતાવળમાં ત્વરિત ઉભા થઇ જાઓ છો..ત્યારે કેટલાક શારીરિક ફેરફાર થાય છે..

દા.ત. તમારા હૃદયની ECG પેટર્ન બદલાય છે, મગજને લોહી ઓછુ મળે છે ..

અને તેથી ‘હાર્ટફેઈલ’ થવાની શક્યતા બહુ જ રહે છે…

અહીં.. ડોક્ટર જણાવે છે કે :

આ સાડા ત્રણ મિનીટનો ઉપયોગ કરો. ડોક્ટરના જણાવ્યા મુજબ આ સાડા ત્રણ એટલે…

૧. પહેલી દોઢ મિનીટ – ઉંધમાંથી ઉઠતી વખતે પથારીમાં એકથી દોઢ મિનીટ આરામથી પડી રહો.

2. પછીને અડધી મિનીટ – પથારીમાં ઓછામાં ઓછા અડધી મિનીટ બેસો.

૩. છેલ્લી એક મિનીટ – પલંગની કિનારે બેસી તમારા પગને લગભગ અડધાથી એકાદ મિનીટ નીચે ઝૂકેલા રાખો.

સાવ નજીવી લાગતી માત્ર આ ત્રણ વાત યાદ રાખો તો :

આ સાડા ત્રણ મિનીટ તમારા મગજને અચાનક જ મળતો બંધ થયેલો લોહીનો પુરવઠો કે હાર્ટફેઈલ નહી થવા દે…અને તેથી કરીને અચાનક મોતમાંથી ઉગરી જવાશે..

આ સાવ જ સરળ લાગતી વાત આપણા મિત્રો સબંધીઓ વિગેરેને જણાવવી ખાસ જરૂરી છે ..

કારણકે આવું અચાનક મોત કોઈપણ ઉંમરની વ્યક્તિ (ભલે તે નાની હોય કે મોટી), કોઈને પણ થઇ શકે છે….

આ સરળ લાગતી માહિતી.. કોઈનું જીવન બચાવી શકશે..!?

વાંચીને નવાઇ લાગશે કે વહેલી સવારે થતા પ્રાકૃતિક મૃત્યુઓમાં ઉપર બતાવેલી વાત બીજા નંબરનું સૌથી મોટું કારણ છે. માટે આવી સીમ્પલ વાત પણ કેટલુ મહત્વ ધરાવે છે એનો ખ્યાલ આવશે.

તમારા ફેમીલીમાં બધાને આ બાબતે ધ્યાન દોરો..  બીજા જોડે અચૂક શેર કરો અને તમારી જવાબદારી નિભાવો.

રવિવાર, 4 ઑગસ્ટ, 2019

જમ્મુકશ્મીરમાં એક સપ્તાહથી ચાલી રહેલી તેજ ગતિવિધિઓની પરાકાષ્ઠારુપે એક ખૂબ જ મોટું ઐતિહાસિક કદમ મોદી સરકારે ભરી લીધું છે. રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ની એક જ ખંડને રાખી બાકીના અનુચ્છેદ હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો છે.દેશના સંવિધાનના ઇતિહાસમાં આ ખૂબ જ મોટી અસર પાડનાર નીવડી રહે તે પ્રકારનો આ મોટો નિર્ણય મોદી સરકારે લઇ લીધો છે.


આ ઘોષણા સાથે જ રાજ્યસભામાં ભારે હંગામો મચી ગયો હતો.


તેની સાથે જ અમિત શાહે જમ્મુ-કશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ પણ રજૂ કર્યો છે. અમિત શાહના એલાન બાદ વિપક્ષે ગૃહમાં ઘણો હોબાળો કર્યો. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત્ર પ્રદેશ બની ગયો છે. સાથોસાથ લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે.


જમ્મુકશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે સાથે જ લદ્દાખને પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.


આ સાથે જ રાષ્ટ્રપતિએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.ધારા 370ના એક જ અનુચ્છેદને છોડીને બાકીના તમામઅનુચ્છેદ કાઢી નાંખવામાં આવ્યાં છે. આ સામે આવી રહેલી પ્રાથમિક જાણકારી છે. બિલના પ્રસ્તાવોનું આકલન બાદવધુ ચિત્ર સ્પષ્ટ થશે.


શુક્રવાર, 2 ઑગસ્ટ, 2019

અયોધ્યા વિવાદ મામલામાં રચાયેલી મધ્યસ્થતા કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં પોતાનો આખરી રીપોર્ટ રજૂ કર્યો છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટ આજે 2 ઓગસ્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમે જણાવ્યું કે વિવાદ ઉકેલવામાં મધ્યસ્થ કમિટી નિષ્ફળ ગઈ છે. હવે 6 ઓગસ્ટથી ખુલ્લી કોર્ટમાં સુનાવણી યોજાશે. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બેન્ચની મધ્યસ્થતા કમિટી પાસેથી આ રીપોર્ટ માંગ્યો હતો.આ પહેલાં 18 જુલાઈએ કમિટીએ કોર્ટને સ્ટેટ્સ રીપોર્ટ સોંપ્યો હતો. ત્યારે સીજેઆઈએ કહ્યું હતું કે હમણા મધ્યસ્થતાં કમિટીનો રીપોર્ટ રેકોર્ડ પર લેવામાં આવશે નહી, કારણ કે તે ગોપનીય છે. પેનલ ઝડપથી આખરી રીપોર્ટ સોંપી દે. જો કોઈ હકારાત્મક પરિણામ નહી મળે તો અમે બે ઓગસ્ટથી દરરોજ સુનાવણી કરવા પર વિચાર કરીશું.


 


અયોધ્યા મામલાની સુનાવણી સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા અને જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. એ. નજીરના સભ્યપદવાળી સંવૈધાનિક બેંચ કરી રહી છે.


 


સુપ્રીમ કોર્ટે આ વર્ષે 8 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ એફ. એમ. કલીફૂલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટીની રચના કરી હતી. આ મામલામાં સર્વસામાન્ય સમાધાન નિકળી શકે. મધ્યસ્થતાં કમિટીમાં આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચૂ પણ સામેલ હતા.મધ્યસ્થતાં પેનલના સંબધિત પક્ષોએ બંધ રૂમમાં વાતચીત કરી હતી. પરંતુ હિન્દુ પક્ષકાર ગોપાલસિંહ વિશારદે પછીથી સુપ્રીમ કોર્ટમાં મધ્યસ્થતા પ્રક્રિયાને રોકી અને આ મામલામાં રોજ સુનાવણી કરવાની મદદ માગી હતી. કારણ કે મધ્યસ્થતાની દિશામાં કોઈ ખાસ પ્રગતિ થઈ રહી ન હતી.


અલહાબાદ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર, 2010ના ચૂકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અપીલ દાખલ કરાઈ છે. હાઈકોર્ટે વિવાદિત 2.77 એકર જમીનને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વિરાજમાનની વચ્ચે સરખા ભાગેવિભાજિત કરવાનો આદેશ કર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે મે 2011માં હાઈકોર્ટના આ ચૂકાદા પર પ્રતિબંધ લગાવવાની સાથે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો.


શનિવાર, 27 જુલાઈ, 2019

* ગરુડ પૂરાણ મુજબ ૧૦૦% સાચુ છે :

* મૃત્યુ બાદ શું થાય ?

* મૃત્યુ બાદ જીવન છે ?

* શું મૃત્યુ પીડા દાયક છે ?

* પૂન:જન્મ કેવી રીતે થાય ?

* મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે ?

■ આવાં  પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે...
જ્યારે -
આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય !

■ આવા સમયે આપણે વિચારીએ છીએ કે -
તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો ?

■ શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય ?

આપણા આ બધા પ્રશ્નોનો ઉત્તર -
આપણા પ્રાચીન 'ગરુડ - પૂરાણ' માંથી મળશે :-

ચાલો આજે આપણે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ...

■ મૃત્યું એક રસદાયી 'ક્રિયા' અથવા 'ઘટનાક્રમ' છે.

પૃથ્વી - ચક્રનું જોડાણ છુટવુ:

■ અંદાજે મૃત્યુના ૪ થી ૫ કલાક પૂર્વે -
પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે.

■ આ લક્ષણો એમ સૂચવે છે કે -
પૃથ્વી - ચક્ર જે પગના તળીયે આવેલ છે,
તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે...

■ મૃત્યુના થોડા સમય પહેલાં પગનાં તળીયા  ઠંડા પડી જાય છે.

■ જ્યારે મૃત્યુનો સમય આવે છે...
ત્યારે -
એમ કહેવાય છે કે...
યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે.

* જીવાદોરી ( Astral Cord ) :

■ જીવાદોરી એટલે -
આત્મા અને શરીર સાથેનું જોડાણ.

મૃત્યુનો સમય થતાં...
યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે..
અને,
આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે.
આ પ્રક્રિયાને જ 'મૃત્યુ' કહેવાય છે.

■ એકવાર જીવાદોરી કપાય...
એટલે -
આત્મા શરીરથી મુક્ત થઈ,
ગુરૂત્વાકર્ષણ થી વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણ નો અનુભવ કરે છે.

■ પરંતુ આત્મા જે શરીરમાં આખી જીંદગી રહ્યો હોય -
તે શરીર ને  છોડવા જલદી તૈયાર થતો નથી...
અને,
ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિષ કરે છે.

■ મૃતદેહની પાસે રહેલ વ્યક્તિ આ કોશિષ નો અનુભવ કરી શકે છે.

આપણે ઘણી વાર જોઈએ છીએ કે -
મૃત્યુ થયા પછી પણ મૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે.
તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મૃત્યુ થયું છે.
તેને એમજ લાગે છે કે તે જીવંત છે.

■ પરંતુ જીવાદોરી કપાઈ જવાને લીધે -
તે આત્મા ઉપર તરફ ખેચાણનો અનુભવ કરે છે.

■ આ સમયે -
આત્માને ઘણા અવાજ સંભળાય છે.
તે મૃમશરીરની આસપાસ, જેટલી વ્યક્તિ રહેલી હશે...
અને,
તે દરેક વ્યક્તિ તે સમયે જે કાંઇ વિચારતા હશે...
- એ બધું જ તે આત્માને સંભળાય છે.

■ એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિષ કરે છે...
પરંતુ કોઈને સંભળાતુ નથી.

■ ધીરે ધીરે આત્માને સમજાય છે કે -
તેનું મૃત્યુ થયું છે.

■ તે આત્મા -
શરીરથી ૧૦ થી ૧૨ ફૂટ ઉપર છત નજીક હવામાં તરતો રહે છે...
અને,
તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે...
- તે જોવાય તથા સંભળાય છે.

■ સામાન્ય રીતે -
જ્યાં સુધી શ્મશાનમાં અગ્નિદાહ થાય...
ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે.

■ હવે પછી આ વાત ધ્યાનમાં રાખજો કે -

જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રામાં સામેલ થયા હો,
તે મૃતકનો આત્મા પણ સહુની સાથે યાત્રા દરમિયાન સાથે હશે...
અને,
દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે...
તેનો એ આત્મા 'સાક્ષી' બને છે.

■ જ્યારે સ્મશાનમાં -
તે આત્મા પોતાના શરીરને 'પંચમહાભૂત' માં વિલીન થતાં જોય છે...
ત્યારબાદ -
તેને 'મુક્ત' થયાનો અહેસાસ થાય છે.

■ આ ઉપરાંત -
તેને સમજાય છે કે -
માત્ર વિચાર કરવાથી જ તેને જ્યાં જવું હોય તે ત્યાં જઈ શકે છે.

■ પહેલાં સાત દિવસ સુધી -
એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે. 
જો, એ આત્માને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે...
તો -
તે સંતાનના રૂમમાં રહેશે !

જો,
એમનો જીવ રુપિયામાં હશે તો -
તેના કબાટ નજીક રહેશે !

■ સાત દિવસ પછી -
તે આત્મા તેના કુટુંબને વિદાય લઈ,
પૃથ્વીની બહાર ના આવરણ તરફ પ્રયાણ કરે છે...
જ્યાંથી તેને બીજા લોકમાં જવાનું છે.

■ આ મૃત્યુલોક માંથી પરલોકમાં જવા માટે -
એક ટનલ માંથી પસાર થવું પડે છે.

આજ કારણસર કહેવાય છે કે -
મૃત્યુ પછીના ૧૨ દિવસ અત્યંત કસોટીપૂર્ણ છે.

■ મૃતકના સગાં સંબંધીઓએ તેની પાછળ જે કાંઇ ૧૨માં અથવા ૧૩માંની શાસ્ત્રોક્ત વિધિ, પીંડદાન તથા ક્ષમા-પ્રાર્થના કરવાની અત્યંત જરૂરી છે.

જેથી -
તે આત્મા, કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા, રાગ, દ્વેષ, વગેરે  પોતાની સાથે ન લઈ જાય.

■ તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જાથી થઈ હશે...
તો,
તેમની ઉર્ધ્વગતિ માં મદદરૂપ થશે.

મૃત્યુલોક થી શરૂ થતી ટનલના અંતે -
દિવ્ય-તેજ યુક્ત પરલોકનું પ્રવેશ દ્વાર આવેલ છે.

* પૂર્વજો સાથે મિલન :

■ જ્યારે ૧૧માં, ૧૨માં ની વિધિ, હોમ-હવન, વિગેરે કરવામાં આવે છે...
ત્યારે -
તે આત્મા તેના પિતૃઓને, સ્વર્ગવાસી મિત્રોને તથા સ્વર્ગસ્થ સગાઓને મળે છે.

આપણે જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય...
ત્યારે,
કેવી રીતે ગળે મળીએ છીએ...
તેવું જ અહીં મિલન થાય છે.

■ ત્યારબાદ -
જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે.
તેને ચિત્રગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે.

* મૃત્યુલોક ના જીવનની સમીક્ષા :

■ અહીં કોઈ ન્યાયકર્તા  કે કોઈ પણ ભગવાનની હાજરી નથી હોતી.

■ જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણ માં -
પોતાના પૃથ્વી ઉપરના વિતેલા જીવનની સમીક્ષા કરે છે.
જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય...
એ રીતે જીવાત્મા પોતાની વિતેલી જીદંગી જોઈ શકે છે.

■ ગત્- જીવનમાં -
જે તે વ્યક્તિઓએ તેને જે કાંઇ તકલીફો આપી હતી...
તેનું વેર લેવા આ જીવાત્મા ઈચ્છી શકે છે.

■ પોતે કરેલ ખરાબ કર્મો માટે -
અપરાધ ભાવ પણ આ જીવ મહેસૂસ કરે છે...
અને,
તે બદલ પશ્ચાતાપ રુપે હવે પછીના જન્મમાં શિક્ષા ભોગવાનુ માગી શકે છે.

અહીં પરલોકમાં આ જીવાત્મા તેના શરીર તથા અહંકાર થી મુક્ત છે.

■ આજ કારણસર -
દેવલોકમાં સ્વીકારેલો ચુકાદો તેના આગલા જન્મનો આધાર બને છે.

ગત જન્મમાં બનેલ દરેક ઘટનાઓના આધારે...
તે જીવ પોતાના થનારા નવા જન્મનો નકશો-કરાર (બ્લુ-પ્રીન્ટ) બનાવે છે.

■ આ કરારમાં -
જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ, પ્રસંગો, આવનારી મુશ્કેલીઓ , વેરઝેર, બદલો, પડકાર, ભક્તિ, સાધના વગેરે નક્કી કરે છે.

■ હકીકતમાં -
જીવ પોતેજ ઝીણા માં ઝીણી વિગતો જેવી કે ઉમર, નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ, અનેક પ્રસંગ દ્વારા થનારા સારા - નરસા અનુભવો, વગેરે...
આ જીવાત્મા પહેલાંથી જ નક્કી કરે છે.

■ દાખલા તરીકે -
કોઈ જીવ જુએ છે કે -
પાછલા જન્મમાં તેણે પોતાના પાડોશી ને માથામાં પથ્થર મારીને હત્યા કરી હતી...

આ ઘટના ના પશ્ચાતાપ રુપે -
તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવવાનું નક્કી કરે છે.

તેના ભાગરુપે તે આખી જીંદગી માથાનો અસહ્ય દુઃખાવો સહન કરવાનું કરારબધ્ધ કરે છે કે -
જેની વેદનાને કોઈ દવાની પણ અસર ન થાય.

* આગલા જીવનનો કરાર (બ્લુ-પ્રીન્ટ) :

■ દરેક જીવ -
તેના નવા જીવનનો જે કરાર કરે છે,
તે તદ્દન પોતાના મૂળભૂત સ્વભાવને આધારીત જ હોય છે.

જો જીવનો સ્વભાવ વેરઝેર યુક્ત હોય તો -
તેનામાં બદલાની ભાવના પ્રબળ હશે.

જેટલી તીવ્રતાની ભાવના હશે...
તે પ્રમાણે ભોગવવું પડશે.

■ આજ કારણસર -
દરેક વ્યક્તિને માફ કરવું જરૂરી છે...
અથવા,
આપણી ભૂલની માફી માંગવી જરૂરી છે...

નહીં તો -
વેરભાવ ચૂકવવા માટે -
જન્મો જન્મની 'પીડા' ભોગવવી પડશે.

■ એકવાર -
જીવ પોતાના આગામી જન્મના કરારની બ્લુ-પ્રીન્ટ નક્કી કરે છે...
ત્યારબાદ -
વિશ્રાંતિ નો સમય હોય છે.

■ દરેક જીવની પોતાની ભોગવવાની તીવ્રતા પર...
આગલા જન્મ વચ્ચેનો વિશ્રાતિ સમય નક્કી થાય છે.

* પૂનઃજન્મ :-

■ દરેક જીવ -
પોતે નક્કી કરેલા કરાર પ્રમાણે...
પોતે નક્કી કરેલ સમય બાદ પુનઃજન્મ લેય છે.

■ દરેક જીવને -
પોતાના માતા પિતાને પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત છે.

તે ઉપરાંત -
જીવને માતાના ગર્ભમાં ક્યા સમયે દાખલ થવું એનો અધિકાર પણ છે.

જીવ અંડકોષ ના મિલન દરમ્યાન -
૪થા- ૫માં મહીને...
અથવા,
પ્રસૂતિના અંતિમ સમયે પણ ગર્ભમાં પ્રવેશ કરી શકે છે.

■ આ બ્રહ્માંડ પણ એટલું જ વિકસિત અને સંપૂર્ણ છે કે -
જો જીવની જન્મકુંડળીનું વિધાન કાઢવામાં આવે તો -
એ જીવાત્માએ જે પ્રમાણે જીવનનો કરાર કરીને જન્મ લીધો હોય...
તેની જ બ્લુ-પ્રીન્ટ નીકળશે.

■ દરેક જીવાત્માને જન્મના ૪૦ દિવસ સુધી -
પોતાનો પાછલો જન્મ યાદ રહે છે.

ત્યારબાદ -
પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે...
અને,
જીવ એ રીતે વર્તન કરે છે કે -
જાણે તે અગાઉ અસ્તિત્વ માં જ ન હતો.

■ દરેક જીવ -
દેવલોકમાં જે કરારબધ્ધ થઈ ને અહીં મૃત્યુલોકમાં જન્મે છે...
તે કરાર જ ભૂલી જાય છે.
અને,
પોતાની વિષમ પરિસ્થિતિનો દોષ -
ગ્રહો તથા ભગવાન ને આપે છે.

■ આપણે સહુએ એક વાત સમજવા જેવી છે કે -
આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ (સારી અથવા વિષમ),
તેનું ચયન આપણે ખૂદ જન્મ લીધા પહેલાં જ કરેલ છે.

■ આ જીવનમાં રહેલી દરેક વ્યક્તિ, માતા, પિતા, મિત્રો, સંબંધીઓ, જીવનસાથી, શત્રુઓ વિગેરેની પસંદગી પણ આપણે જ કરેલ છે.

■ આપણા જીવન રુપી ફિલ્મની વાર્તા લખનારા તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં છીએ.

■ એક વાત ધ્યાનમાં રાખો -
આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એજ રોલ નીભાવે છે...
જે રોલ આપણે લખ્યો છે.

તો પછી -
આપણે શું કામ કોઇ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ ?

* શું મૃત્યુ બાદ -
સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે ?

■ મૃત્યુ બાદ આપણાં સ્વજનોને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે.

ગતિ એટલે આત્મા એ મૃત્યુલોક થી પરલોકમાં પ્રયાણ કરવું.
જો ગતિ ન થાય તો જીવ પૃથ્વીલોકમાં જ અટકી જાય છે.

■ ઘણી વાર એવું પણ બને છે કે -
જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય,

જીવ અત્યંત દુ:ખી થઇ ને નીકળ્યો હોય,

અકસ્માત માં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં મોત થયું હોય,

આપઘાત કર્યો હોય,

કોઈ નજીક ની વ્યક્તિ માં જીવ રહી ગયો હોય
અથવા,
જીવાત્મા ની પાછળ અધકચરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય
અથવા
આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પૃથ્વીલોકમાં રહેવું છે...

આવી પરિસ્થિતિ માં જીવ અહીં જ રહી જાય છે.

■ પરંતુ મૃત્યુ બાદ -
દરેક જીવાત્માએ ૧૨ દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે...
ત્યારબાદ -
તે પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે
અને,
તે આત્મા દેવલોકમાં પ્રવેશી શકતો નથી.

અને,
પૃથ્વી ઉપર 'પ્રેત-યોની' માં અધવચ્ચે રહી જાય છે.

■ આમ -
તે આત્માને નથી દેવલોકમાં પ્રવેશ મળતો..
કે,
નથી ભોગવવા માટે શરીર મળી શકતું.

આજ કારણસર -
જનાર વ્યક્તિ પાછળ ક્રિયા-વિધિ,  ક્ષમા-પ્રાર્થના અત્યંત જરૂરી છે કે -
જેથી
સદ્ગગત્ આત્માની 'ગતિ' થાય.

■ અત્યાર ના સમયમાં -
નવી પેઢીને આ બધા રીતીરિવાજો, માન્યતાઓ જૂનવાણી લાગે છે
અને,
પોતાના સ્વજનો પાછળ ક્રિયા વિધિ કરતાં નથી.

આને લીધે -
ઘણાં જીવાત્માઓ અહીં પૃથ્વીલોકમાં અટકી ગયા છે...
અને,
તેઓની ગતિ થતી નથી.

■ દરેક પરિવારે તેમના સ્વજનો ના સદ્ગગત  આત્માની ગતિ માટે -
કરવામાં આવતી ક્રિયા વિધિની કદી ઉપેક્ષા  કરવી નહીં.

■ જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે,
તેમણે કદી દુઃખી થવું નહીં.
કેમ કે -
આત્માનુ કદી મૃત્યુ નથી થતું....
સમય આવતાં આપણે સ્વજનોને મળવાનાં જ છીએ.

લેખ સૌજન્ય : 'ગરુડ પૂરાણ'